શું તમારે જીવનમાં સુખી થવું છે ?
માનવી હંમેશા જીવનમાં કંઈને કંઈ વાત ઉપર દુ:ખી રહ્યા કરતો હોય છે. સુખ, ખુશી(happiness / happy life), શાંતિ અને સફળતા (success)ની શોધમાં સતત ભટક્યા કરતો હોય છે. આ પરિસ્થિતિમાં વર્ષોના વર્ષ વીતી જાય છે તેનો તેને ખ્યાલ રહેતો નથી. આપણે જ્યારે જગતને ચાહીએ છીએ ત્યારે જ આપણે જીવન પામીએ છીએ. આ ઉપરાંત, કોઈ પણ વિચારના અંકુર માનવીના પોતાના જ શબ્દોમાંથી પ્રાણ પામે છે અને પછી પાંગરે છે. જેમ વસંત ઋતુને નવજીવનની ઋતુ કહે છે કેમ કે તે સમયે કુદરતમાં નવું જીવન આવે છે. શું કદી તમે વિચાર્યું છે કે મારામાં નવું જીવન કેવી રીતે આવે ? નવી ચેતના કેમ સ્ફુરે ? આ બધા મુદ્દા વિચારશો તો આપો આપ રાહ મળશે અને જીવનમાં સુખી થવાના પથ પર આગળ વધી શકશો.
આપણા પુરાણોમાં પણ વિવિધ સાધુ-સંતો દ્વારા, જ્ઞાની ભગવંતો દ્વારા એક યા બીજા સ્વરૂપે જીવનમાં સુખી થવાના ઉપાયો આપવામાં આવેલા છે. જો એ બધાનો નિચોડ કરવામાં આવે તો મુખ્યત્વે નીચે જણાવેલી બાબતો જાણવા મળશે
જીવનમાં સુખી થવાની ચાવી : (keys to happiness in life)
- જે મળે છે તેમાંં ઈશ્વરનો પાડ માની સંતોષ અનુભવો (To be happy in life, the most important rule of life)
- બીજાની ઈર્ષા અને નિંદા ન કરો
- પોતાની જરૂરિયાતો મર્યાદિત રાખો
- વિકટ પરિસ્થિતિમાં પણ મગજને શાંત રાખો અને સમતાપૂર્વક કાર્ય કરો
- અન્ય વિશે જેમ તેમ ન બોલો
- પોતાના ક્રોધને કાબૂમાં રાખો
- મુખ પર હંમેશા હાસ્ય રાખો
- સાત્વિક ખોરાક જ આરોગો
- યથાશક્તિ દાન ધર્મ કરો
- રાત્રે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલાં ઊઠો
- શારીરિક સ્વાસ્થ્ય જાળવવા કસરત કરો
- કોઈ પણ વસ્તુનો લોભ કે મોહ ન રાખો અને કરકસર ભર્યું સાદું જીવન જીવો
જો ઉપરના મુદ્દાને ધ્યાનમાં રાખી તે પ્રમાણેનું આચરણ કરવામાં આવે તો વિશ્વમાંં બધે જ સુખ શાંતિ જોવા મળે. અત્યારની પરિસ્થિતિમાં આપણને એવું લાગે છે કે જાણે આપણે 20-25 વર્ષ પાછા જતા રહ્યા છીએ અને સાદગી ભર્યું જીવન જીવી રહ્યા છીએ તો પરમ શાંતિ અનુભવીએ છીએ. પરિવારના લોકો સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી શકીએ છીએ. માનસિક તાણ ઓછી અનુભવવા મળે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો